માનમોડી ગામે આદિમ જુથનાં PM જન મન આવાસ નાં લાભાર્થીઓનુ ચુકવણી માં જવાબદાર અધિકારી નું બેવડું વલણ.
ડાંગ

માનમોડી ગામે આદિમ જુથનાં PM જન મન આવાસ નાં લાભાર્થીઓનુ ચુકવણી માં જવાબદાર અધિકારી નું બેવડું વલણ.
હું જોવડાવી લઈશ PM જન મન યોજના અમારા માં આવતી નથી આ યોજના બીલકુલ અલગ છે.વહિવટદાર: વિહાભાઈ માનમોડીપંચાયત
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ માનમોડી ગામે વહિવટદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી નું બેવડું વલણ
થી PM જન મન આવાસ યોજના ના આદિમ જુથ ના લાભાર્થી ૧) પ્રકાશભાઈ ખંડુભાઈ મુકને ૨) નારણભાઈ માહદુ ભાઈ મુકને ૩)
જનાદૅનભાઈ સોમાભાઈ કુંવર નાઓ મુશ્કેલીમાં મુકાયા છે.તેમનું કહેવું છે કે અમને સરકાર શ્રી તરફથી PMજન મનનામની યોજના વર્ષ ૨૦૨૩/૨૪ માં
આપવામાં આવેલ છે.જેનો પહેલો હપ્તો ૩૦૦૦૦(ત્રીસ હજાર) રુપિયાજમા કરવામાં આવ્યાહતા. ત્યારબાદ અમે પોતાના ગાય બકરા વેચીને લેન્ટરસુધી
નું કામ પૂર્ણ કરેલછે.પરંતુ અત્યારે અમારાં પાશે વેચવા જેવીકોઈ પણ પ્રકારની વસ્તુઓ નથીકે તેનાપર અમે પતરા મુકીશકીએ અમારા બાળકો બીજાના
ઓટલે રહેવા મજબૂર બન્યા છે. એવીતો અમે શું ભુલકરીછેકે એક વર્ષ પૂર્ણ થયું તેમછતાં અમને બીજો હપ્તો મળેલનથી બીજા લાભાર્થી ઓને બીજા ત્રિજાતબક્કાનો
હપ્તો મળી ગયેલ છે. જ્યારે અમને કોઈ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી જેવી અનેક દુઃખ ભરી વાતો કરવા માં આવી હતી તેમજ
ગામનાં આગેવાન માજી સરપંચ શ્રી મહેન્દ્ર ગાવિતે જણાવ્યું હતું કે મેં વહીવટી દાર તેમજ તાલુકા લેવલે પણવાતકરી છે.પરંતુ અમને સંતોષ કારક જવાબ આપવા માં આવેલનથી વધુ માં તેમણે જણાવ્યું હતું કે
આદિમજુથ નાં આ અતિ ગરીબપરીવારો છે.તેમની સાથે ખરેખર વહીવટી અધિકારીઓએ બેદરકારી બેરુખી બે જવાબદારી બતાવેલ છે. સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ પણ વિશ્વાસ કરવો
કોનાપર લોકોની કલ્યાણકારી યોજનાઓ અમલમાં તો આવતી હોયછે.પરંતુ ટકાવારી મળતીનથી જેથીકરીને આવીયોજના ઓનો સંપૂર્ણ લાભઅપાવવા બેદરકારી બતાવવામાં આવતી હોય છે. તો શું વરસાદ
પહેલા આ ગરીબ પરિવારોનાં હપ્તા મળશે કે ગોળ ગોળ જવાબો આપી. લાભાર્થી ઓની સમસ્યા માં વધારો કરશે.