Uncategorized

અમદાવાદમાં વિમાન દુર્ઘટના: પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, ફ્લાઈટમાં સવાર તમામ લોકોના મોત.

અમદાવાદ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશની ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે.ત્યારે પ્લેનમાં સવાર લોકોનું લિસ્ટમાં વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. ત્યારે ગુજરાત માટે ખૂબ દુ:ખ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર સામે આવ્યા છે.જણાવી દઈએ કે, લંડન જઈને સ્કોટલેન્ડ ફરવાનો પરિવારનો પ્લાન હોવાથી વિજય રૂપાણી આજે લંડન જવા માટે નીકળ્યા હતા. તેમના દીકરી લંડનમાં રહે છે અને તેમના પત્ની અંજલી રૂપાણી છેલ્લા 2 દિવસથી લંડન ગયા છે. જોકે, તે સમયે વિજયભાઈને પણ સાથે જવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તેઓ જઈ શક્યા નહીં અને તેઓ આજે લંડન જવા નીકળ્યા હતા. તેવી માહિતી મળી રહી છે.12 જૂન 2025 ના રોજ, મેસર્સ એર ઇન્ડિયા B787 વિમાન VT-ANB (અમદાવાદથી ગેટવિક જતું) અમદાવાદથી ઉડાન ભર્યા પછી ફ્લાઇટ AI-171 તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કર્યું હતું.

 સી.આર. પાટીલે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આ દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેતા મેડિકલ સ્ટુડન્ટને પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આપણા આંગણે ગંભીર ઘટના બનવાથી આપણે વ્યથિત છીએ અને આપણે કશું કરી શકતા નથી. વધુમાં તેમણે સમગ્ર મામલે એવું પણ કહ્યું કે ભાજપ પરિવાર માટે આ મોટો આંચકો છે. સમગ્ર મામલે સી.આર. પાટીલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે ભગવાન દિવંગતોની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!