નવસારીના ગણદેવી તાલુકાના આલીપોર દેસાડ સ્ટેટ હાઈવે ખાતે કાર્ય પાલક ઈજનેર એમ એસ પટેલએ રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું
નવસારી :પ્રિતેશ પટેલ બ્યુરો ચીફ.નવસારી

વરસાદના વિરામ બાદ નવસારી માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકા સ્થિત આલીપોર દેસાડ સ્ટેટ હાઈવે
ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું કાર્યપાલક ઈજનેર એમ એસ પટેલએ સ્થળ વિઝિટ કરી સમારકામ તથા પેચવર્ક
કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યપાલક ઈજનેર એમ એસ પટેલએ જણાવ્યું કે , નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ છેલ્લાદસ દિવસથી જિલ્લામાં આવેલ સ્ટેટ હાઈવે પર ટેક્નિકલ ટીમ, મેન પાવર, મશીનરી સહિતની ટીમો રાત-દિવસ રોડ-
રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાઈ છે. જેમાં આજે ગણદેવી તાલુકાના આલીપોર દેસાડ સ્ટેટ હાઈવે પર મરામત
ડામર પેચવર્ક કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે . આ સાથે દરરોજ સ્ટેટ હાઈવે રોડ રીપેરિંગ અને મેન્ટેનન્સની
કામગીરી પણ સતત કાર્યરત છે.વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ આલીપોર દેસાડ સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા ત્વરિત એક્શન લઈ
પેચવર્ક તથા રીપેરીંગની કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવામાં આવી છે.ગણદેવી તાલુકાના સ્થાનિક એવા યતિનભાઈ ભાવસારે જણાવ્યું કે , હું વેનમાં બાળકોને શાળામાં મુકવાલેવા રોજ અપ ડાઉન કરું છું . આ રોડ વરસાદના કારણોસર ખરાબ અવસ્થામાં થઈ ગયો હતો જ્યાં વહીવટી તંત્રદ્વારા આ રસ્તાનું ખુબ ઝડપી રીપેરીંગની કામગીરી કરી વાહનચાલકો માટે સુગમ રોડ બનાવ્યો છે જેનાથી આમારાજેવા ઘણા લોકોને સરળતા ઉભી થઈ છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની ધોરી નસ સમાન અને રોજિંદા અવરજવર માટેના માર્ગો
પર રાહદારીઓ તથા વાહનચાલકોને અગવડ ન પડે, તે પ્રકારે સત્વરે સમારકામ હાથ ધરવા વિવિધ વિભાગો સહિત
તમામ જિલ્લાના વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ માર્ગ અને મકાન
વિભાગ(રાજ્ય) દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરાઈ છે.“જિલ્લાના અન્ય રસ્તા ઉપર પણ સમારકામ કામગીરી ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.”
-કાર્ય પાલક ઈજનેર કે .એમ પટેલ
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનેકારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાદિશા – દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે.
જે અનુસંધાને હાલમાં રોડ- રસ્તા રીપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ
રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અંતર્ગત નવસારી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા
જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાર્યપાલક ઈજનેરશ્રી કે.એમ.પટેલએ
જિલ્લામાં ચાલતા રસ્તાના સમારકામની સ્થળ મુલાકાત લીધી હતી.
જેમાં આજરોજ ગણદેવી તાલુકાના નાંદરખા ગામના મુખ્ય માર્ગ જે ૪.૮ કી.મી છે ત્યાં કામગીરીનું સ્થળ નિરિક્ષણ
કર્યું હતું. મુલાકાત સ્થળ પર કાર્યપાલક ઇજનેરશ્રીએ મરામત કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત કર્મચારીઓને રસ્તા
મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના આપી હતી.
આ અંગે વાત કરતા નવસારીના માર્ગ અને મકાન ( પંચાયત ) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલ જણાવે
છે કે રાજ્ય સરકાર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓને ત્વરિત સમારકામ કરવાની સૂચના આપવામાં આવી
છે. આ સૂચનાને ભાગરૂપે વરસાદ બંધ થતાં નવસારી જિલ્લાઓમાં મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ
મરામતની કામગીરી અન્વયે અલગ અલગ રોડ રસ્તા પર મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જેના નિરીક્ષણ
અર્થે આજે સ્થળ મુલાકાત લીધી છે અને આ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને યોગ્ય તેમજ ગુણવત્તા સાથે
થાય એ પ્રકારની કામગીરી કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લાના અન્ય રસ્તા ઉપર પણ સમારકામ કામગીરી ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરવામાંઆવશે.