તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે આજે ભવ્ય વાધદેવ ની પ્રતિમા ની સ્થાપના અને નાદરવા દેવું નું પૂજન થશે
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ તાપી

આજે ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે જણાવતા આનંદ થાય છે કે આદિવાસી દેવસ્થાન ઉત્સવ અને સંસ્કૃતિ જાળવણી સમિતિ ચુનાવાડી દ્વારા આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે તેનો ભાગરૂપે ચુનાવાડી ગામે ગામમાં આદિ અનાદિકાળથી આ પ્રસંગે આદિવાસી પરંપરા અનુસાર વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. વાઘદેવની પૂજા કરતા આવ્યા છે તેથી ચુનાવાડી ગામમાં વાઘદેવ ની તા 11/7/2026 શનિવાર ના રોજ મૂર્તિ ની સ્થાપના કરવામાં આવશે આ પાવન પ્રસંગે આપને પધારવા હાર્દિક આમંત્રણ છે આદિવાસી દેવસ્થાન ઉત્સવ અને જાળવણી સમિતિ ના પ્રમુખ એવા શ્રી માન કૌશિક ભાઈ ચૌધરી દ્વારા વિસ્તારના લોકો ને આપણા આદિવાસી સમાજ ભાઈઓ બહેનો ને પધારવા આમંત્રણ છે.સમય-સાંજે 6:00 કલાક થી રવિવારના સવારે8:00 કલાક સુધી પૂજા વિધિ ચાલશે સાથે જ આદિવાસી સમાજ નો પિલવણી , વાવણી સાથે રોપણી પછી નો તહેવાર એટલે નાદરવા દેવ ની પણ પુજા કરવામાં આવ છે.પૂજા પ્રસંગે ગામના આગેવાનો, વડીલો તથા તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા આમંત્રણ છે.
વાઘદેવની શોભાયાત્રા સવારે 11:00 કલાકે ભમરીયા ફળિયા થી નીકળી ગામના તમામ ફળિયામાં ફરશે




