ગાંધીનગર
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IIT)મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂમિપૂજન સંપન્ન કરાયું..E)ના
ગાંધીનગર

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ના 16મા સ્થાપના દિવસના અવસરે આ સંસ્થાના નિર્માણ થનાર શૈક્ષણિક ભવન, વહીવટી ભવન તથા ફેકલ્ટી બ્લોક ઉપરાંત બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલના નૂતન ભવનોનું મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂમિપૂજન સંપન્ન કરાયું…
આ નવા ભવનમાં એકેડેમિક બિલ્ડિંગ, આધુનિક સાયન્સ લેબ તથા સેમિનાર રૂમ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાઈબ્રેરી અને મ્યુઝિયમ જેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ રમતો માટે પ્લે ગ્રાઉન્ડ, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવી હોસ્ટેલનું બાંધકામ હાથ ધરાશે; આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે ITEP અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન કરાયું…
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્ત્વની ભૂમિકા ભજવશે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા
આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શ્રી બી.એન. હાઈસ્કૂલમાં જે આદરણીય શિક્ષકો અને ગુરુજનો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તે ગુરુજનોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાવપૂર્વક અભિવાદન-સન્માન કરાયું..




