બારખાદિયા નિચલા ફળીયા થીં ચિકાર રંભાસ જોડતો ચેકડેમ કમ કોજવે નું સમારકામ ક્યારે , ?
ડાંગ -રિપોર્ટર શિવાજી કવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સમાવિષ્ટ ગામો માં વિકાસ થીં વંચિત, કોઈ વિસ્તારમાં ગોળ પિરસાય તો કોઈ વિસ્તારમાં ખોળ પીરસાય તેવો ડાંગ નો વિકાસ, ?
વઘઈ : વઘઈ તાલુકાના બારખાદિયા નિચલા ફળીયા થીં ચિકાર રંભાસ જોડતો રસ્તો બનેલ હોવાં છતાં અંબીકા નદી પર આવેલ કોજવે કમ ચેકડેમ રિપેરિંગ કામ કરવાં આનાં કાની કેમ. ? આ બાબતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નેં પણ જાણ કરવામાં આવી હતી,આજથી કેટલાં વર્ષ સુધી આશ્વાસન આપતાં હોય કે કામગીરી થઈ જશે એમ કહી રવાનાં થઈ જતાં હોય પણ આજ દિન સુધી ચેકડેમ કોજવે રિપેરિંગ કામ થયું નથી, તેથી અનેક ગામોમાં અવરજવર કરવાં માં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, અને ચોમાસા દરમ્યાન લાંબા કિમી ના વળાંકો લેવા મજબૂર થવું પડે,
વઘઈ તાલુકાના સમાવિષ્ટ બારખાદિયા નિચલા ફળીયા થીં ચિકાર રંભાસ જોડતો ચેકડેમ કમ કોજવે નુ રિપેરિંગ કામ વહેલી તકે પૂર્ણ થયા એવી લોકો માંગ ઉઠવા પામી છે,